Wednesday, 21 April 2021

રૂખડો ઝાડ

હાલમાં વધતા જતા કોરોના ના લીધે માનવી અને સૃષ્ટિને ઘણું નુકશાન પહોંચાડી રહ્યું છે.   દિવસે દિવસે વધતા જતા કોરોના ના કેસ અને મૃત્યુ થયેલા શબ માટે અગ્નિદાહ આપવામાં  વપરાતા  લાકડાને લીધે ઘણા વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે. આમ ધીરે ધીરે કોરોના એ જંગલનો પણ સફાયો કરવા માંડયો છે.



કતપોર 



 અંકલેશ્વરની પેરેડાઇઝ ઇન્ડિયા એનજીઓના ankleshwar tree watch હેઠળ કલ્પવૃક્ષ પ્રોજેક્ટ દ્વારા  શહેરના વૃક્ષોને ઉગાડવા ,  તે પ્રત્યેની કાળજીઓ અને રેકોર્ડ્સ તેમજ સંશોધન કાર્યો પણ કરે છે.

 ત્યારે દર વર્ષે 18મી એપ્રિલે વિશ્વભરમાં વર્લ્ડ હેરિટેજ ડે તરીકે ઉજવાય છે.આ દિવસની ઉજવણી પાછળનો હેતુ માનવ સંસ્કૃતિ સાથે સંકળાયેલા ઐતિહાસિક અને  સાંસ્કૃતિક સંપત્તિનું રક્ષણ કરવાનો છે. અંકલેશ્વર થી ૩૫ કિલોમીટર દૂર આવેલા  હાંસોટ તાલુકાના કતપોર ગામ પાસે  ખોડીયાર માતાના મંદિર નજીક એનજીઓના અમિતભાઈ રાણા અને હાર્દિકભાઈ પટેલ સભ્યએ રૂખડો ના વૃક્ષની મુલાકાત કરી હતી.  આ વૃક્ષ ઘણું અને લાંબુ આયુષ્ય ધરાવે છે. 2014 - ૧૫માં વનવિભાગ દ્રારા આ વૃક્ષ ને હેરિટેજ વૃક્ષ અથવા  મહાવૃક્ષ નો દરજ્જો આપવામાં આવ્યો છે. આ વૃક્ષ દુર્લભ હોવાથી સરકારે  રક્ષિત વૃક્ષ તરીકેની નામ ઘોષિત કર્યું છે રક્ષિત વૃક્ષ એટલે કે તેને  કાપવામાં મનાઈ ફરમાવવામાં આવી હોય છે સરકારની પરવાનગી વગર આ વૃક્ષને કાપી શકાય નહીં. અને તે ઘણા ઓછા જોવા મળે છે તે એક હજાર વર્ષ સુધીનું આયુષ્ય ધરાવે છે

 આ વૃક્ષ આશરે 500 વર્ષ પહેલા આરબો  દ્વારા ભારતમાં લાવવામાં   આવ્યું હોવાનું  માનવામાં આવે છે. મોટેભાગે ગુજરાતના દરિયાકિનારાના આજુબાજુના વિસ્તારોમાં આ વૃક્ષ વધુ જોવા મળે છે. ઐતિહાસિક રીતે એવું માનવામાં આવે છે કે ગોરખનાથે આ ઝાડની નીચે તપસ્યા કરી હતી તેથી તેને  ગોરખઆંબલો પણ કહે છે. આ વૃક્ષના થડની અંદર ભરપૂર પ્રમાણમાં પાણી હોય છે તેનું ફળ આછા ભૂખરા રંગના હોય છે. આ  ફળ વાંદરાઓ બહુ ખાય છે, જેથી Monkeybed tree તરીકે પણ ઓળખાય છે. તે આસ્થાનું પ્રતિક છે તેને લીધે લોકો "રૂખડા બાબા" તરીકે પણ પૂજે છે તેની સંખ્યા ઉત્તર ગુજરાત કરતા દક્ષિણ ગુજરાતમાં વધુ જોવા મળે છે.  દક્ષિણ ગુજરાતમાં આ વૃક્ષની બખોલમાં ચોર સંતાઈ જાય છે તેથી તેને ચોર આમલો પણ કહે છે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપેલો કે એક વૃક્ષ એક વર્ષનું હોય તો ૭૪ હજાર પાંચસો (74,500)ની કિંમત આંકી શકાય છે. આમ આ વૃક્ષ ની કિંમત કરોડોમાં આંકી શકાય છે.

 રૂખડા નું વૃક્ષ આફ્રિકા  નો હોવાથી તેને 'બાઓબાબ' તરીકે પણ ઓળખાય છે.

 તેનો ઉપયોગ મોટેભાગે ઔષધીય વનસ્પતિ તરીકે પણ થાય છે

અંકલેશ્વરમાં  કોઈપણ જગ્યાએ રૂખડા વૃક્ષ જોવા મળતું નથી. તે માટે અમારી સંસ્થા રૂખડા વૃક્ષના બીજ ને  અન્ય જગ્યાએથી મંગાવીને અંકલેશ્વરમાં ઉગાડવા માટે ના અને આ વૃક્ષ દુર્લભ હોવાથી  આવતી પેઢી  જોઈ શકે અને તેની જાળવણી કરી શકે તે માટેના પ્રયાસો કરીશું. 


-  અમિત રાણા( એન્વાયરમેન્ટ) એન્જિનિયર

રૂખડા નું વૃક્ષ આપણા આખા ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં એક માત્ર ગણવામાં આવે છે. તે માટે આપણને ગૌરવ ની વાત કહેવાય.  આ વૃક્ષ અલભ્ય હોવાથી તેનું જતન કરવું જરૂરી છે.

આ વૃક્ષની મુખ્ય વિશેષતા એ છે કે તેનું થડ અન્ય વૃક્ષો કરતા ખૂબ જાડું હોય છે.



રૂખડો ના ફળ 












રૂખડો ના બીજ 





  




                                       







સુરત 



સુરત 


સુરત 











ખેડા 




અડાજણ ,સુરત 


હિંગોલગઢ 


દીવ 


હુસેનાબાદ 


સુરત 


ભુજ ,કચછ 


સુરત 





આમોદ 






આમોદ 




ગિરનાર 

ગિરનાર દરવાજાથી વાઘેશ્વરી મંદિર તરફ જતા જમણા હાથ તરફ પર અલ્ભય રૂખડાનું વ્રુક્ષ આવેલ છે, આસ્થાના પ્રતીક સમા આ રૂખડાનું વ્રુક્ષ ખુબજ દુર્લભ છે. આ વ્રુક્ષ ના દર્શન કરવા અને માનતા પુરી કરવા ઘના લોકો આવે છે. આવ્રુક્ષ ને બોટનીકલમાં એડેડાનસોનીયા, ડીજીટા, હિન્દી માં ગોરશ્રી, અને અગ્રેજીમાં મંકીબેડ ટ્રી થી ઓળખવામાં આવે છે.

આ અલ્ભય વ્રુક્ષ ની ઉંચાઈ ૧૫ મીટર (૫૦ ફુટ) રૂખડાના છાલનો ગર તાવ, ચર્મરોગ, જુલાબની વ્યધિ માં ફાયદાકારક નીવડે છે. આ વ્રિક્ષમાં ચોમાસા માંજ પાંદડા આવે છે, અને ૫ – ૬ ફુટ વ્યાસ ના આર્કશક સફેદ રંગના ફુલો ખીલે છે, તેની ડાળીઓ મૂળ જેવી દેખાતી હોવથી બોટલ ટ્રી તરીકે પણ ઓળખાય છે તથા ગલકા જેવા ફળ આપે છે.

થડનો ઘેરવોઃ ૧૮ ફૂટ ૫ ઇંચ

બોટનીકલ વિગતોઃ

Botanical Name :- Adansonia digitata L.
Family :- Bombaceae
Gujarati Name :- રૂખડો
Hindi Name :- ગોરક્ષી
English Name :- Monkey Bred Tree

વર્ણન / ઔષધિઓ ઉપયોગોઃ

વર્ષનો વધુ ભાગ, લગભગ પર્ણો વિના રહેતું લીસી, સહેજ ચળકતી છાલ ધરવતું આ વ્રુક્ષ નું થડ ખુબજ જાડું હોય છે. અને થોડી ઉંચાઈએ જતાં અચાનક સાંકડું થઈ જાઇ છે. તેની છાલ માં એડીનસોનીન નામનું કડવું તત્વ છાલ ને ઉકાળીને ઉકાળા રૂપે મેળવાય છે. જે ખાસ કરીને એકાંતરે આવતા તાવ માં ઉપયોગી થાય છે. તેના ફળ નાં ગર નો ઉપયોગ થોડી માત્રા માં છાસ સાથે ઝાડા ની વ્યધિ માં કામ આવે છે. ઉપરાંત ફળનો ગર ચર્મ રોગ પર પણ ઉપયોગ માં લેવાય છે.





સુરત  પ્રાણી  સ્ંગ્રહાલય 







.ઉપરના ત્રણ વૃક્ષોં સાબરકાંઠા 


અમિત રાણા ( પ્રકૃતિ માણસ)
Contact no :- 8460286892 



"જ્યાં સુધી માનવી એ તેના જન્મ થી લઈ આજ સુધી કોઈ વૃક્ષ વાવ્યું ના હોય તો તે જીવન નિરથર્ક છે ."



Friday, 9 April 2021

અંકલેશ્વર બીજ બેંક

        પ્રકૃતિ  મહામૂલી સંપત્તિ છે.પ્રકૃતિનું જતન અને રક્ષણ  કરવાનો સમય આવી ગયો છે.પ્રકૃતિ ને આગળ વધારવા માટે આપનો સહકાર મહત્વનો છે આપની આસપાસ કોઈ વનસ્પતિ ના બીજ હોય તો જાણ કરવી તેમજ અંકલેશ્વર બીજ બેંક માટે તેને મોકલી આપશો તો આપનો ખૂબ ખૂબ આભારી રહીશ. ઘણી જગ્યાએ બીજ રોપણી ના કામ ચાલી રહ્યા તો બીજ ની જરૂર આપ ની મદદ થી પૂરી થઈ જાય તો ખૂબ ઉપકાર રહશે તમારો.  અમારી સંસ્થા બીજ નો સંગ્રહ સંશોધન અને વિસ્તરણનો કાર્ય કરે છે. 


With અંકલેશ્વર બીજ બેંક


હેતુ:-

1)વિવિધ પ્રજાતિઓના છોડના બીજોને સંગ્રહ કરાશે.દુર્લભ અને સામાન્ય બંને પ્રકારના બીજ રાખવામાં આવશે.

 2) સૌ પ્રથમ અમારાથી જેટલા બીજૃ હશે તેનું કલેક્શન કરી જાહેર જનતા માટે બીજો માટેના ઓળખાણની , કેવી વનસ્પતિના બીજ છે?  કેવા પ્રકારના છે?  તેની જાણકારી આપીશું 

3) શાળાઓમાં જઈને વકઁશોપ પણ કરીશું જેથી વિદ્યાર્થીઓને તેની જાણકારી મળશે.

 4)કયા પ્રકારના બીજ છે તેનું સંશોધન પણ કરીશું તેમજ બીજને વાવીને તેના રોપા તૈયાર કરી તેનો અભ્યાસ કરીશું.


ગોધરા થી બીજ પ્રાપ્ત થયા 

 ( ર્ડો ધીરેન્દ્રસિંહ ઠાકર દ્વારા )


ગોધરાથી Dr. Dhinendrasingh Thakar દ્વારા 10/04/2021  ના રોજ  કાળો ધતુરો અને સફેદ કોળું  ના  બીજ Ankleshwar seed Bank  ને આપ્યા છે.  તે માટે અમારા તરફથી  તેમનો આભાર.

 અમારી બેંક દ્વારા ફક્ત બીજની કલેક્શન  કરતા નથી  પણ બીજની ચકાસણી પૂર્વક પારખીને, તેમનું નિરીક્ષણ કરીને, સંશોધન કરીને  તે બીજને  રોપીને છોડ તરીકે  ઉગાડવામાં આવીશું.